બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી બની સંન્યાસી, કિન્નર અખાડામાંથી લીધી દીક્ષા.
ઘણી બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી સંન્યાસી બની ગઈ છે.
તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. હવે તે નવા નામથી ઓળખાશે.
તે મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મહામંડલેશ્વર બનશે.
મમતા કુલકર્ણીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.
હવે તે સંન્યાસી બની ગઈ છે. તેમણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે.
આધ્યાત્મિક માર્ગને અનુસરીને, તેમણે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025 દરમિયાન કિન્નર અખાડામાં સંન્યાસની દીક્ષા લીધી.
તેને કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવીથી સન્માનિત કરવામાં આવી છે.
કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી અને જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી જય અંબાનંદ ગિરીના માર્ગદર્શન હેઠળ મમતા કુલકર્ણી મહામંડલેશ્વર બનશે. આજે એટલે કે 24 જાન્યુઆરીએ, તે પિંડદાન કરશે અને તેમનો પટ્ટા અભિષેક સાંજે 6 વાગ્યે થશે.
સન્યાસી બન્યા પછી, મમતા હવે નવા નામથી ઓળખાશે. તેમની નવી ઓળખ ‘શ્રી યમાઈ મમતા નંદ ગિરિ’ તરીકે છે. આ તેનું નવું નામ છે. મમતા વર્ષોથી દુબઈમાં રહેતી હતી. તે થોડા સમય પહેલા ભારત આવી હતી. હવે તેણે સાધુ બનવાનું નક્કી કર્યું છે.
મતા કુલકર્ણીએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1991માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘નન્નાબર્ગલ’થી કરી હતી. એક વર્ષ પછી, ૧૯૯૨માં, તેમણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમની પહેલી હિન્દી ફિલ્મ ‘મેરે દિલ તેરે લિયે’ હતી. તેણીને તેની ખરી ઓળખ ૧૯૯૫માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કરણ અર્જુન’થી મળી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. રાકેશ રોશન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન પણ જોવા મળ્યા હતા. મમતા આજે પણ આ ફિલ્મ માટે જાણીતી છે.
ત્યારબાદ મમતાએ ‘નસીબ’, ‘સબસા બડા ખિલાડી’, ‘વક્ત હમરા હૈ’, ‘ઘાતક’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, પછી તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું. તેનું નામ ડોન વિક્કી ગોસ્વામી સાથે જોડાયું, ત્યારબાદ તે ફિલ્મોથી દૂર થઈ ગઈ.

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh