Explore

Search

December 9, 2025 11:07 am

LATEST NEWS
Lifestyle

શેખ હસીનાને સોંપવા અંગે ભારતને મોટો નિર્ણય, બાંગ્લાદેશને મોટો ઝટકો આપતાં ચોખ્ખી ના પાડી

Facebook
Twitter
WhatsApp
Email

શેખ હસીનાને સોંપવા અંગે ભારતને મોટો નિર્ણય, બાંગ્લાદેશને મોટો ઝટકો આપતાં ચોખ્ખી ના પાડી

શેખ હસીના હાલ ભારતમાં છે. 5 ઓગસ્ટે તખ્તાપલટ બાદ તે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર આવ્યા હતા અને ત્યારથી તે દિલ્હીમાં કોઈ જગ્યાએ છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને સોંપવાની માંગ કરી છે.

બાંગ્લાદેશે શેખ હસીનાને પરત મોકલવાની માંગ કરી 

ગયા અઠવાડિયે જ બાંગ્લાદેશ તરફથી એક રાજદ્વારી નોંધ આવી હતી જેમાં શેખ હસીનાને મોકલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે તેનો જવાબ આપ્યો નથી. દરમિયાન સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારત સરકાર શેખ હસીનાને પરત મોકલવાનું વિચારી રહી નથી. એટલું જ નહીં, બાંગ્લાદેશ સરકાર દ્વારા દબાણ લાવવાના પ્રયાસો પછી પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં.

બાંગ્લાદેશ પાસે પણ રાજદ્વારી નોંધ મોકલવા સિવાય કોઈ વિકલ્પ નહિ 

સૌપ્રથમ, બાંગ્લાદેશ સાથેની ભારતની પ્રત્યાર્પણ સંધિ કોઈપણ રાજકીય વ્યક્તિત્વને પરત કરવાની જોગવાઈ કરતી નથી. આ સિવાય ભારત ભૌગોલિક રાજકીય કારણોસર પણ આવું કરવા માંગતું નથી. ભારતને લાગે છે કે જો પરિસ્થિતિ બદલાશે તો શેખ હસીના સત્તામાં આવી શકે છે અને તે સ્થિતિમાં તે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હશે. તેમજ, બાંગ્લાદેશની વચગાળાની સરકાર પાસે પણ રાજદ્વારી નોંધ મોકલવા સિવાય ભારત પર દબાણ લાવવાનો કોઈ વિકલ્પ નથી. શેખ હસીના ભારતમાં સમય વિતાવી ચૂક્યા છે. તેમનો પુત્ર અને પુત્રી પણ ભારતમાં રહેતા હતા. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ છોડ્યા પછી તેમના માટે સૌથી સરળ રસ્તો ભારત આવવાનો હતો.

ભારત શેખ હસીનાના મહત્ત્વને સમજે છે

શેખ હસીના માટે ભારતમાંથી બાંગ્લાદેશના રાજકારણને પ્રભાવિત કરવાનું પણ આસાન બની જશે. ભારત શેખ હસીનાના મહત્ત્વને સમજે છે, જેમણે પોતાના 15 વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશમાં કટ્ટરવાદી દળો પર લગામ લગાવી હતી. આ ઉપરાંત સરહદ સંબંધિત મુદ્દાઓ પણ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યા હતા. શેખ હસીનાના સમયમાં બંને દેશો વચ્ચેનો વેપાર પણ ઝડપથી વધ્યો.

ભારત પ્રત્યાર્પણની અરજી પર વિચાર કરશે તેમ કહીને થોડા મહિનાઓ પણ કાઢી શકે છે. જો કે, ભારત એક એવો દેશ છે જેણે મહેમાનોના સ્વાગતની પરંપરા લાંબા સમયથી જાળવી રાખી છે. ભારતે દલાઈ લામાને પણ આવી જ રીતે ભારત આવવાની તક આપી હતી. અત્યારે પણ દલાઈ લામા હજારો તિબેટીયનોની સાથે ભારતમાં જ છે. જો કે, શેખ હસીના વિશે એવી આશા છે કે જો તેને થોડા વર્ષો લાગે તો પણ તે ફરી એકવાર બાંગ્લાદેશ પરત ફરી શકે છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment