Explore

Search

July 8, 2025 5:16 pm

LATEST NEWS
Lifestyle

જુઓ , બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ૨ નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

Facebook
Twitter
WhatsApp
Email

જુઓ , બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, ૨ નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી , રોહિડા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે.

અમદાવાદમાં મોડી રાત્રે બાવળા-બગોદરા હાઈવે (Bavla- Bagodra Highway) પર ગોઝારો અકસ્માત (Accident) સર્જાતા 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
બાવળા-બગોદરા હાઇવે પર કાપડના ટ્રકનું ટાયર ફરી વળા ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
ટ્રક સાથે અથડાતા 4 ભારે વાહનોનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી.
સ્થાનિકોએ તુરંત પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી દીધી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

બાવળા-બગોદરા હાઈવે પર બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી.

જેમાં આગ ફાટી નીકળતા ડ્રાઈવર અને એક પેસેન્જરનું મોત થયાનું જાણવા મળ્યું છે.

આ ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. જેમાં કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી.

આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો તેમની જગ્યાએ કમલભાઈ આવ્યા હતા.

પરંતુ ટ્રકનો અકસ્માત થતાં કમલભાઈનું મોત નિપજ્યું છે. હાલ બંને મૃતકોના પરિવારને તેની જાણ કરી દેવાઈ છે.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. ફાયરબિગ્રેડે આગ પર કાબૂ મેળવી લીધો છે.

ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી દેવાયા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment