Explore

Search

July 8, 2025 4:38 pm

LATEST NEWS
Lifestyle

કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, ૪૨ લોકોના મોત

Facebook
Twitter
WhatsApp
Email

કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, ૪૨ લોકોના મોત

કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, ૪૨ લોકોના મોત

બુધવારે (25 ડિસેમ્બર)  કઝાકિસ્તાનના અક્તૌ એરપોર્ટની નજીકમાં જ અઝરબૈઝાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. આ વિમાનમાં 67 પેસેન્જર્સ અને 5 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 42 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 25 લોકોના જીવ બચ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર લેન્ડિંગ કરતી વખતે જ અચાનક વિમાન ક્રેશ થઇ જતાં અગનગોળામાં ફેરવાઈ ગયું હતું. ઘટના બનતા જ મુસાફરોમાં ડર અને અફરાતફરી જોવા મળી હતી. વિમાન દુર્ઘટનાનો દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે. બચાવ કર્મચારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા અનેક લોકોને બચાવવામાં સફળતા મળી છે. જણાવી દઈએ કે, દુર્ઘટનાના કારણે પ્લેન બે ટુકડામાં વહેંચાયું હતું. પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ પક્ષીના ટકરાવાથી દુર્ઘટના બની હોઈ શકે છે.

અઝરબૈજાન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત 

પ્રાથમિક અહેવાલ અનુસાર અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયા જઇ રહ્યું હતું. આ દરમિયાન તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. તેના પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવા મંજૂરી પણ માગવામાં આવી હતી. જોકે આ દરમિયાન જ વિમાન ક્રેશ થઇ ગયું હતું.

અમુક લોકો જીવતા બચી ગયા 

સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મધ્ય એશિયાઈ દેશના ઈમરજન્સી મંત્રાલયના હવાલાથી જણાવાયું કે વિમાન દુર્ઘટનામાં અમુક લોકો જીવતા બચી ગયા હતા. હાલમાં તમામ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Chavda Parakramsinh
Author: Chavda Parakramsinh

Chavda Parakramsinh

Leave a Comment