મુંબઈમાં ગેટ વે ઑફ ઇન્ડિયા નજીક બોટ પલટી : ત્રણના મોત , ૭૭ લોકોને બચાવાયા
મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ 77 લોકોને બચાવી લેવાયા છે. મળતી માહિતી મુજબ, બોટ તેજ ગતિએ જઈ રહેલી એક નાની હોડી સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ.
કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌકાદળ તરફથી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ તેમજ 4 હેલિકોપ્ટર બચાવ કામગીરીમાં જોડાતાં 77 લોકોને બચાવી લેવાયા છે.
A Ferry Boat, traveling from Mumbai's Gateway of India to #ElephantaCaves capsized while 30 to 35 people on board.
Coast Guard recued many while Search Ops continued.
Pray for all 🙏#BoatAccident #CoastGuards #ViralVideo #CancerVaccine #KritiSanon #Mumbai #AmitShah pic.twitter.com/GB4xwlG9Li— Anushka Singh Rawat (@AnuRawat01) December 18, 2024
અકસ્માત બાદ શરુ થઈ બચાવ કામગીરી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બોટ મુંબઈ નજીક ‘એલિફન્ટા’ ટાપુ તરફ જઈ રહી હતી, પરંતુ તે ઉરણ નજીક પલટી ગઈ. બોટ દુર્ઘટના બાદ નૌકાદળ, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક ફિશિંગ બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જે બોટ સાથે અકસ્માત સર્જાયો તેનું નામ નીલકમલ હતું.
एलिफंटाकडे जाणाऱ्या नीलकमल या बोटीचा अपघात घडल्याचे वृत्त प्राप्त झाले. नौदल, कोस्टगार्ड, पोर्ट, पोलिस पथकच्या बोटी तातडीने मदतीसाठी रवाना करण्यात आल्या आहेत. जिल्हा आणि पोलिस प्रशासनाशी सातत्याने आम्ही संपर्कात असून, सुदैवाने बहुसंख्य नागरिकांना वाचविण्यात आले आहे. तथापि अजूनही…
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 18, 2024
દેવેન્દ્ર ફડણવીસે આપી માહિતી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે, ‘સૂચના મળી કે, એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તાત્કાલિક ધોરણે સહાય માટે નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમની બોટ મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે જરૂરી હોય તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.’Nilkamal

Author: Chavda Parakramsinh
Chavda Parakramsinh